
એક ટ્રકમાં ક્રૂરતાપૂર્વક 299 બકરાઓ છોડાવી રાજપુર ડીસા પાંજરાપોળમા મુકાયા
પાલનપુરના હનુમાન ટેકરી પાસેથી કતલખાને જતા પશુઓને જીવદયા પ્રેમીઓએ બચાવ્યાં..
રાજસ્થાન થી પાલનપુર આવી રહેલી ટ્રકમાં 299 જેટલા બકરા કતલખાને લઇ જવાતા હતા.
તા.09/06 /2022 ના મોડીરાત્રે પાલનપુર ખાતે જીવદયા પ્રેમીઓને બાતમી મળી કે રાજસ્થાન થી પાલનપુર તરફ એક ટ્રકમાં બકરા ભરી કતલખાને લઈ જવાઈ રહ્યાં છે. જે બાદ જીવદયાપ્રેમીઓ દ્વારા બાતમીના આધારે પાલનપુર ખાતે આવેલ હનુમાન ટેકરી પાસે ફરિયાદી રાહુલકુમાર માજીરાણા તથા રાહુલકુમાર જૈન,સંજયભાઈ પ્રજાપતિ તેમજ અન્ય જીવદયાપ્રેમીઓએ વોચ ગોઠવી હતી અને બાતમી વાળી ટ્રક ત્યાં આવતા તેને રોકાવતા ટ્રકમાં તપાસ કરતા ખીચોખીચ એકબીજાને ચામડી ઘસાય તે રીતે ક્રૂરતા પૂર્વક બકરાઓને કતલખાને લઈ જતાં હોવાની જાણ થતા જીવદયા પ્રેમીઓ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તમામ બકરાઓને કતલખાને જતા જીવદયા પ્રેમીઓ દ્વારા બચાવાયા હતા અને જે બાદ પોલીસ દ્વારા આ તમામ 299 બકરાઓને ડીસાની રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા અને ટ્રક કબજે કરી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે અનેકવાર રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં પશુઓ કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે. આ કતલખાને જતા પશુઓને બચાવવા માટે જીવદયાપ્રેમીઓ સતત મહેનત કરી રહ્યા છે અને એક પછી એક કતલખાને જતી ગાડીઓને રોકાવી પશુઓના જીવ બચાવી રહ્યા છે. ત્યારે ગતરોજ જીવદયા પ્રેમીઓ દ્વારા એક ટ્રક જે પશુઓ ભરી કતલખાને જતી અટકાવી હતી.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાલનપુર ખાતે જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રક જેનો નંબર GJ 24 V 8383 વાળીમાં બકરા ભરી કતલખાને લઈ જવાઈ રહી છે જે બાદ જીવદયા પ્રેમીઓ દ્વારા પાલનપુર ના હનુમાન ટેકરી પાસે કતલખાને જતી ટ્રકને રોકવા માટે વોચ ગોઠવી હતી જે બાદ બાતમી વાળી GJ 24 V 8383 નંબરની ટ્રક પાલનપુર હનુમાન ટેકરી પાસે આવતા જીવદયા પ્રેમીઓ દ્વારા રોકવામાં આવી હતી ટ્રક ચાલકને નીચે ઉતારી તાત્કાલિક પાલનપુર કંટ્રોલરૂમમાં જાણ કરાતા પોલીસે ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી

અને પોલીસની હાજરીમાં ટ્રકમાં તપાસ કરતા ક્રુરતા પૂર્વક ખીચોખીચ બકરા ભરેલ જોવા મળેલ તેમજ ટ્રકમાં ઘાસચારો તેમજ પાણીની કોઇ સગવડ ન હોઈ અને કતલખાને લઇ જવાતા હોવાનું જાણવા મળતાં જીવદયા પ્રેમીઓ તેમજ પોલીસ દ્વારા બકરા ભરેલ ટ્રક ને પાલનપુર પોલીસ મથકે લઇ જવાઇ હતી જે બાદ આ ટ્રકમાં જોતા 299 જેટલા બકરા ખીચોખીચ એકબીજાને ચામડી ઘસાય તે રીતે ક્રૂરતા પૂર્વક ટ્રકમાં ભરી કતલખાને લઇ જઇ રહ્યા હોવાનું સામે આવ્યું હતું જે બાદ આ ટ્રકચાલકનું નામ પુછતાં તેણે પોતાનું નામ સુફિયાનખાન ઉસ્માનખાન નાગોરી હાલ રહે સિધ્ધપુર તાવડિયા ચાર રસ્તા ગુલિસ્તાન પાર્ક સોસાયટી તા. સિધ્ધપુર જી.પાટણ વાળો મૂળ રહે.વાઘણા તા.સિધ્ધપુર જી.પાટણ. હોવાનું જણાવેલ જે બાદ પોલીસ દ્વારા ટ્રકને કબજે કરી ટ્રકમાં ભરેલ 299 જેટલા બકરા જેની કુલ કિંમત.1,49,500 ની તે તમામ બકરા ને રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે મોકલાયા હતા તેમજ પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
